કોઈ અસર નથી

છે આ શરીરની હાજરી ત્યાં સુધી લાગણી વરસાવી દે . . .
પછી તસ્વીરને લાગણી ની કોઈ અસર નથી હોતી..

સલાહ

જે ઘર માં ‘વડીલ’ ની સલાહ લેવાતી ન હોય એ ઘર માં

સમય જતાં ‘વકીલ’ ની સલાહ લેવાની નોબત આવી શકે.

ફરીયાદ આપણે શું કરીએ

ફરીયાદ આપણે શું કરીએ ખુદા ના દરબારમાં. …….
ખુદાને પણ ફરિયાદ છે આપણા વ્યવહારમાં

ખુદા કહે છે કે. …….

હું તો વહેચવા જ બેઠો છું. ..
કયાંક મંદિર માં તો કયાંક મજાર માં…….
પણ તમે તો મૂકી ને પૈસા
મને ખરીદો છો ભર બજારમાં. ..